કોરોના વાઇરસના વધતાં પ્રકોપ વચ્ચે દુનિયભરના વૈજ્ઞાનિકો ઇનો ઉપાય શોધવામાં લાગી ગયા છે. કોરોનાથી બચવા માટે હાથોની સફાઈ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને મહત્વપૂર્ણ, માનવમાં આવ્યું છે. કોરોના વાયરસથી બચવા માટે હાથોને વારે વારે સાબુથી ધોવા માટે કહેવામા આવ્યું છે. તો પણ કોરોનાનું સંક્રમણ વધતું રહે છે. આ વચ્ચે રુસના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પાણીથી કોરોના પૂરી રીતે ખતમ થઈ શકે છે. આ રિસર્ચ સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી એન્ડ વાયોટેક્નોલોજી સેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે.
આ રિસર્ચમાં વૈજ્ઞાનિકો એ દાવો કર્યો છે પાણી કોરોનાને 72 કલાકની અંદર લગભગ પૂરી રીતે ખતમ કરી શકે છે. સાથે જ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 90% જેટલા વાઇરસ 24 કલાકમાં અને 99.9 ટકા વાઇરસ સામાન્ય તાપમાન પર રાખેલ પાણીથી મારી જાય છે.
ઉકળતા પાણીના તાપમાનમાં વાઇરસ મરી જાય છે. જો કે અમુક પરિસ્થિતિઓમાં વાઇરસ પાણીમાં રહી શકે છે પણ એ દરિયાના કે તાજા પાણીમાં વધતો નથી. પણ પાણીના ઉકળવાથી વાઇરસ મરી જ જાય છે.
ઉકળતા પાણીમાં કોરોના વાઇરસ ટકી શકતો નથી. એમ જ કોરોના વાઇરસ એક જ્ગ્યા પર લાંબા સેમી સુધી ટકી શકતો નથી. પણ સ્ટેનલેસ સ્ટીલ, લીનોલિયમ, કાંચ, પ્લાસ્ટિક અને સીરેમિક ઉપર 48 કલાક સુધી વાઇરસ સક્રિય રહી શકે છે. પણ વધુ પડતાં ઘરેલુ કીટાણુનાશક આ વાઇરસને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.
તો રિસર્ચ મુજબ જો તમે કોરોના વાઇરસથી બચવા માંગો છો તો વારે વારે તમારા હાથને સાફ કર્યા કરો અને ઉકાળીને સામાન્ય તાપમાન થયા બાદ પાણી પીઓ અને ઠંડી જગ્યા પર ઓછા રહો. સાથે જ દરેક વસ્તુને અડક્યા બાદ સેનિટાઈજરથી હાથ ફરી સાફ જરૂરથી કરો.